પ્રશ્નઃ આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો ?
પરિચયઃ
નામ વિજય ડી શાહ M.Sc. 1975 Gujarat University
વયવસાયેઃ નિવૃત છું.
બ્લોગર છું મારા બ્લોગ ની માહીતિ નીચે મુજબ છે
મારી અન્ય સાઈટ
મારી મુખ્ય સાઈટ
પ્રશ્નઃ શોખ એટલે તમારે મન શું ?
લેખન પ્રવૃતિ એ મારો શોખ છે.
પ્રશ્નઃ આપ કયા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું?
વિજય શાહ. ઉપનામ નથી
પ્રશ્નઃ લેખનકળામાં આપને સૌપ્રથમ ક્યારે પ્રેરણા થઈ? / એવી કઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા ?
૧૯૬૪માં મારી બાળ વાર્તા દૈનિક પેપર નૂતન ગુજરાતમાં પ્રસિધ્ધ થઈ તે વખતે ૧૨ વર્ષનાં બાળક્ને મિત્રોમાં જે આદર અને સન્માન મળ્યુ તે પહેલી પ્રેરણા.. ત્યાર પછી ડો શરદ શાહે ડાયરી લખવા આપી ત્યારથી ડાયરી લેખન ચાલુ થયું. ૨૦૦૬ માં બ્લોગ શરુ થયા. ૧૯૭૭માં મોટીબહેન ડો પ્રતિભા શાહે મારો પહેલો કાવ્ય સંગ્રહ” હું એટલે તમે” પ્રસિધ્ધ કરી આ સર્જનયાત્રા શરુ કરી
પ્રશ્નઃ આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો.
વિજય શાહનાં સર્જનો
એમેઝોન.કોમ પરથી કે બુકગંગા.કોમ પરથી ખરીદવા પુસ્તકને ક્લિક કરશો
નવલકથાઓ
હેતૂલક્ષી પુસ્તકો
૩.મન કેળવો તો સુખ, ના કેળવો તો દુઃખ
સહિયારું સર્જન
કાવ્ય સંગ્રહો
ટુંકી વાર્તા સંગ્રહો
૨.ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ
સહિયારા વાર્તા સંગ્રહો
૧૩.મસલા ચાય
અન્ય પ્રકાશનો
સહિયારા સર્જનો
નવલકથાઓ ( મુખ્ય લેખક તરીકે)
૪.જીવન ફુગ્ગા મહી સ્થીર થયેલી એક ફુંક
૧૧ બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં
સહ લેખક તરીકે
સહિયારા સર્જનો -લલિત નિબંધો અને અન્ય પ્રયોગો
૪.સાહિત્ય સંવર્ધનો નો સફળ પ્રયાસ- સહિયારુ સર્જન
૭. વરીષ્ઠ નાગરીકનું સુખ-હકારાત્મક અભિગમ
૧૭. પ્રાયોગીક નવતર લખાણો ૨ તસ્વીર બોલે છે
૨૦ હ્યુસ્ટન ગુજરાતી કાર્યક્રમોનું પાટનગર
૨૬ દ્વિપદી (મુક્તક) ઉપરનું ગદ્ય સર્જન
સાભાર – સાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ -૧૧, રાધેશ્યામ શર્મા
બહુમાન સહિયારા સર્જનમાં ૨૫ પુસ્તકો મુક્યા બદલ ૩૫ લેખકો ને લીમ્કા ઍવોર્ડ મળ્યો
પ્રશ્નઃ આગામી કોઈ ઇચ્છીત સાહિત્ય સાહસ ખરું ?
હાલમાં અમે ચાર સંપાદકો થકી સંપાદિત પુસ્તક “સંવર્ધન માતૃભાષાનું” ને ગીનીઝ બુક ઍવોર્ડ મળે તેવા પ્રયત્નો ચાલુ છે
પ્રશ્નઃ આપ કોઈ સાહિત્યિક સંકુલ / ગૃપ્સ સાથે જોડાયેલાં છો ખરાં ? કઈ રીતે એની સાથે પ્રવૃત્ત છો જણાવશો.
પ્રશ્નઃ પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? / ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય વચ્ચે આપ શું ફરક કરો છો? આપને કયું વધારે ગમે છે?
બંને જુદા માધ્યમો છે. મારા ૩ પુસ્તકો પ્રકાશીત છે જે આદર્શ પ્રકાશને પ્રસિધ્ધ કરેલ છે જ્યારે તે પુસ્તકો સહિત મારું સમગ્ર સાહિત્ય એમેઝોન સ્ટોરી મીરર, માતૃ ભારતી, પ્રતિલિપિ, ઈ શબ્દ અને બૂક્ગંગા જેવી ઓન લાઈન સાઈટ ઉપર છે.
પરિઆવરણની જાગરૂકતા વધતા નેટ પરનું સર્જન વધુ વેગ પકડશે તેવું હું માનું છું.
પ્રશ્નઃ વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવા ઇચ્છશો ?
તેઓ વાંચીને જણાવે કે તેમને શું ગમ્યું અને શું ના ગમ્યું તો તે મુજબ અમને સર્જન વિશે માર્ગદર્શન મળે.
પ્રશ્નઃ કોઈ એક પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ લખી આપશો.
હળવા રહેવું, હસતા રહેવું અને હકારાત્મક રહેવું..