"નથી મળતાં હવે સ્નેહ રૂપી મીઠા ઝરણા,
પાણી થઈ ગયા છે સૌના ખારા"
" મન મંદિર" -હરસુખ રાયવડેરા.
" વેદના "
માણસના સ્વભાવની ખારાશ, કડવાહટ વધતી જાય છે. મીઠાસ, સ્નેહ અને લાગણીઓ ઓછી થતી જાય છે.
પોતાના નજદીકી સગાંઓને છોડીને બીજાં સાથે અંતરંગ કહી શકાય એવો સંબંધ કોઈનો રહ્યો નથી.
અહીં પડોશી પોતાના પડોશીને ઓળખતા નથી. બાજુના ઘરમાં એકલી રહેતી વૃદ્ધ મહિલા મૃત્યુ પામ્યા પછી પણ ઘણાં દિવસો સુધી કોઈને ખબર પડતી નથી...? આને શુ કહેવું ??
માત્ર એક ઘટના ???
આપણે શુ માણસ કહેવાને લાયક છીએ ? વિચાર જરૂર કરજો !!