આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના લેખિકા અને કવિયત્રી શ્રી ફાલ્ગુની પરીખ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ :
આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)
ફાલ્ગુની પરીખ.(કોઈ ઉપનામ નથી)
ફાલ્ગુની પરીખ,
શીવમ નગર સોસાયટી,
વડિયા, રાજપીપળા.
જીલ્લો- નર્મદા
ગુજરાત.
આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)
પ્રાથમિક શિક્ષણ- અંકલેશ્વર પ્રા.કન્યાશાળા,
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ- એમ.ટી.એમ ગર્લ્સ હાઈસ્કૂલ- અંકલેશ્વર
આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું ? આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?
શાળાના અભ્યાસ દરમ્યાન- કોમિકસ, ચાંદામામા, પંચતંત્રની વાર્તાઓ- વાંચતી.કોલેજમા આવ્યા બાદ શાયરીઓ અને ગઝલ સાથે સંબંધ બંધાયો ! ફેસબુક પર આગમન થયા બાદ સુજ્ઞ શ્રી.નીતા.કોટેચા જી સાથે મિત્રતા થઈ. મારી અભિવ્યક્તિ એમને પસંદ આવતી, એ મને પ્રોત્સાહન આપતા- તું ખુદ તારું સર્જન કર ! અને શરૂ થઈ મારી એક અદભુત સફર !
સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?
શરૂઆતમાં ખૂબ મુશ્કેલીઓ આવી, મોબાઇલથી ટાઈપ કરવાનું ખૂબ મુશ્કેલ લાગતું હતું. રચનાઓને ઇમેઇલ દ્વારા કેવી રીતે મોકલવાની એની સમજ પણ નીતા કોટેચા એ આપી !
આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?
આજના સાહિત્યનું સ્વરૂપ ખરેખર બદલાઈ ગયું છે ! આજે અસંખ્ય મારા જેવા લેખિકાઓ- લેખકોની રચનાઓ આંગળીના સ્પર્શથી આપણે ખૂબ સરળતાથી વાંચી શકાય છે ! જે ગુજરાતી સાહિત્ય વેબસાઇટનો કારણે શક્ય બન્યું છે !
આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથી, શું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?
જી હા- ચોક્કસપણે એ નવો અવસર બન્યો છે !
આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)
વેદિકા, ગીફ્ટ, સ્પર્શ, પ્રેમ સૌરભ, શ્રધ્ધાસુમન મારી આ રચનાઓ મારા દિલની નજીક છે ! સમાજને કોઈક સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ! મારા પ્રયાસને વાચકમિત્રો એ બિરદાવ્યો છે,એ માટે હું- ' સ્ટોરી મિરર- મારા વાચકમિત્રોનો હ્રદયપૂર્વક આભાર માનું છું !
સ્યાહી.કોમ. પર મારી પ્રથમ ઈ- બુક "સંવેદના" ભાગ ૧-૨ રજૂઆત પામી.
સ્ટોરી મિરર- પર "શબ્દ" ઈ- બુક રજૂઆત પામી છે !
આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.
મારી પ્રથમ રચના- ' સૌરભ'- શૂન્યતાનું આકાશ પર રજૂઆત પામી હતી.
સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મલય છે અને કોના તરફથી, સ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)
સાહિત્ય સન્માન અને પુરસ્કાર સાથે નાતો- હજુ શરૂઆતના તબક્કામાં છે. સર્જનહાર મેગેઝીન- ૧૧ વર્ષમાં ૧૩ એવોર્ડ પ્રાપ્ત કરનારના સન્માનીય લેખકોમાં મારા જેવી નવોદિત લેખિકા સ્થાન પામી છે એ મારા માટે ગર્વની વાત છે- આ માટે તંત્રી શ્રી.ભાવેશભાઇ.મીરાણીનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું !
સ્ટોરી મિરર તરફથી ૨૦૧૭ માં મને 'ડિજીટલ સન્માન પત્રક' અને ૨૦૧૮ માં બેસ્ટ ૫૦ લેખકોમાં હું નોમિની બની એ માટેનું સન્માન પત્ર પ્રાપ્ત થયું છે ! આ માટે સ્ટોરીમિરર અને સમગ્ર ટીમનો - મારા વાચકમિત્રો નો હ્રદયપૂર્વક આભાર માનું છું !
થેંક્યું વેરી વેરી મચ !
નવોદિત લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?
તમારી લેખિનીથી તમારી કલ્પનામાં રંગ ભરતા રહો, ઉડાન ભરો ! અડચણો આવે હિંમત ના હારો- દરેક ભૂલો આપણને કંઇક નવું શીખવે છે ! લખતા રહો !
સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?
મારો અનુભવ ખૂબ સુંદર રહ્યો છે! નવોદિત લેખિકા- લેખકો માટે એક ખૂબ સુંદર પ્લેટફોર્મ છે- તેમની સંવેદનાઓને લોકો સમક્ષ ફેલાવવામાં !
સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?
હા
દોસ્તો- સ્ટોરીમિરર આપણી લેખિનીના અસ્તિત્વનુ દર્પણ છે, જેમાં આપણી કલ્પનાઓના પ્રતિબિંબ કાગળો પર કંડારાઇને સમગ્ર દુનિયામાં એની સૌરભ ફેલાવે છે ! ખૂબ સન્માનીય કાર્યના' પ્રણેતા' તેઓ છે !
થેંક્યું વેરી વેરી મચ- "સ્ટોરીમિરર & સમગ્ર ટીમ & મારા પ્રિય વાચકમિત્રો ! આપ બધાનો ખૂબ ખૂબ આભાર
તો મિત્રો આ હતી એક મુલાકાત લેખિકા અને કવિયત્રી શ્રી ફાલ્ગુની પરીખ સાથે સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.